મેરા ભારત મહાન
જે કોઈએ આ દેશની જમીન પર જન્મ લીધો છે. તેને પોતાના પ્યારા વતન પ્રત્યે પ્રેમ હોય એ બિલકુલ સ્વાભાવિક છે. કેમ કે વતન પ્રત્યે વહાલ એતો માનવ પ્રકૃતિનો એક અંશ છે. તેને ઉપરથી લાદવાની જરૂર નથી. તે તો માનવ સ્વભાવમાં સમાયેલો જ હોય છે. અને તેથી દરેક ભારતવાસી પછી તે કોઇપણ ધર્મ જાતિ વર્ગનો કેમ ન હોય પોતાના વતનને દિલથી ચાહે છે. અને ગર્વ સાથે કહે છે કે મેરા ભારત મહાન. ભારતના ઉર્દૂના મહાન કવિ ડો. મુહમ્મદ ઇકબાલએ સાચું કહ્યું છે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા.
ભારતના મુસ્લિમો પણ વતનને ખૂબ જ ચાહે છે. તેઓ કહે છે કે વતનની તકલીફો પરદેશની સુખ સાયબી કરતા દિલને વધુ તસલ્લી અને ઠંડક આપનારી છે. મજહબે ઇસ્લામે પણ કહ્યું છે કે હુબ્બુલ વતની મિનલ ઇમાન એટલે વતન પ્રત્યેનો પ્રેમ એ ઇમાનનો એક ભાગ છે. વતન પ્રત્યેના પ્રેમની આડે ધર્મ કે ધાર્મિક કે માન્યતાઓ કદી પણ વચ્ચે આવતી નથી. જેથી જ્યારે કોઇ દીશાથી મુસ્લિમોના વતન પ્રેમ પ્રત્યે શંકા વ્યક્ત કરવામાં આવે છે. કે સબૂત માંગવામાં આવે છે. તો દિલને બેહદ દુઃખ પહોંચે છે વતન પ્રેમ એ તો માનવ પ્રકૃતિમાં સમાયેલો જ છે. અને એથી જ્યારે એક મુસ્લિમ પણ પ્રેમથી મેરા ભારત મહાન કહી પોતાના દેશ માટે ગૌરવ લેતો હોય છે. ત્યારે તેના દિલને ઠેસ પહોંચે એવું ન કહેવાય કે ન કરાય તો કેટલું સારુ ! વિશ્વાસ અને ભાઈચારો જ આ દેશની પ્રગતિનો રાઝ છે.
દેશની દરેક વ્યકિત પોત પોતાના ધર્મ અને તેની રીતી, નિતિ, વિધિને બીજાને દુઃખ રંજ પહોંચાડયા વિના પાળે એકબીજાના ધર્મ ધાર્મિક સ્થળો અને ધર્મગ્રંથોનું આદર કરે તો પછી ઝઘડો જ કર્યા રહેવાનો ખરેખર પછી તો ભાઈચારો જ ભાઈચારો રહેશે અને જો આમ થાય તો આ દેશની પ્રગતિને ચાર ચાંદ જ લાગી જાય અને મારૂ ભારત સાચા અર્થમાં સવાયું મહાન બની જાય દુનિયા પણ પછી કહે કે ખરેખર ભારત મહાન છે. કેમ કે ત્યાં ભાઈચારો જ ભાઈચારો છે.
આમ થાય તે માટે સત્તા મેળવવા ખાતર લોકોમાં ફેલાવાતા અસંતોષને લોકો સમજે અને ભૂતકાળમાં સૂફી સંતોએ ચિંધેલા શાંતિના માર્ગ પર પાછા વળે એ જ સ્વાતંત્રદિનની પુકાર છે માંગ છે અલ્લાહ એવું જ કરે એવી દુઆ.
ભારતના મુસ્લિમો પણ વતનને ખૂબ જ ચાહે છે. તેઓ કહે છે કે વતનની તકલીફો પરદેશની સુખ સાયબી કરતા દિલને વધુ તસલ્લી અને ઠંડક આપનારી છે. મજહબે ઇસ્લામે પણ કહ્યું છે કે હુબ્બુલ વતની મિનલ ઇમાન એટલે વતન પ્રત્યેનો પ્રેમ એ ઇમાનનો એક ભાગ છે. વતન પ્રત્યેના પ્રેમની આડે ધર્મ કે ધાર્મિક કે માન્યતાઓ કદી પણ વચ્ચે આવતી નથી. જેથી જ્યારે કોઇ દીશાથી મુસ્લિમોના વતન પ્રેમ પ્રત્યે શંકા વ્યક્ત કરવામાં આવે છે. કે સબૂત માંગવામાં આવે છે. તો દિલને બેહદ દુઃખ પહોંચે છે વતન પ્રેમ એ તો માનવ પ્રકૃતિમાં સમાયેલો જ છે. અને એથી જ્યારે એક મુસ્લિમ પણ પ્રેમથી મેરા ભારત મહાન કહી પોતાના દેશ માટે ગૌરવ લેતો હોય છે. ત્યારે તેના દિલને ઠેસ પહોંચે એવું ન કહેવાય કે ન કરાય તો કેટલું સારુ ! વિશ્વાસ અને ભાઈચારો જ આ દેશની પ્રગતિનો રાઝ છે.
દેશની દરેક વ્યકિત પોત પોતાના ધર્મ અને તેની રીતી, નિતિ, વિધિને બીજાને દુઃખ રંજ પહોંચાડયા વિના પાળે એકબીજાના ધર્મ ધાર્મિક સ્થળો અને ધર્મગ્રંથોનું આદર કરે તો પછી ઝઘડો જ કર્યા રહેવાનો ખરેખર પછી તો ભાઈચારો જ ભાઈચારો રહેશે અને જો આમ થાય તો આ દેશની પ્રગતિને ચાર ચાંદ જ લાગી જાય અને મારૂ ભારત સાચા અર્થમાં સવાયું મહાન બની જાય દુનિયા પણ પછી કહે કે ખરેખર ભારત મહાન છે. કેમ કે ત્યાં ભાઈચારો જ ભાઈચારો છે.
આમ થાય તે માટે સત્તા મેળવવા ખાતર લોકોમાં ફેલાવાતા અસંતોષને લોકો સમજે અને ભૂતકાળમાં સૂફી સંતોએ ચિંધેલા શાંતિના માર્ગ પર પાછા વળે એ જ સ્વાતંત્રદિનની પુકાર છે માંગ છે અલ્લાહ એવું જ કરે એવી દુઆ.