ઉજાસ

Sunday, May 21, 2006

ફિલ્મો અને ટીવી સિરિયલોની આડઅસરથી ચેતો

આજે આપણા દેશમાં ફિલ્મો અને ટીવીની ખૂબ ચર્ચા રહે છે. નાનાથી મોટા બધાં જ એના ચાહકો છે, પણ કોઈ એનાથી થતી આડઅસર પ્રત્યે ગંભીર નથી કે તે દરેકના જીવન પર કેટલી ખતરનાક અસર પાડી રહી છે.
આજે દેશમાં જે બદી ફેલાઈ રહી છે તેને માટે ફિલ્મ- ટીવી સિરિયલો જવાબદાર છે. તમે કોઈ પણ ફિલ્મ કે ટીવી સિરિયલ જુઓ તેમાં મારામારી, ખૂન ખરાબો, કત્‍લેઆમ, દારૂની રેલમછેલ પિસ્તોલની ધનાધની, પ્રેમલા પ્રેમલીની બોગસ ભરમાર, ચોરી, લૂટ, બેંક લૂટવી, ઘરેથી બાળકોનું ભાગવું, આત્મહત્યા, દગાખોરી, જેવા દ્રવ્યો બતાવવામાં આવે છે. જેની જનતા પર ગહેરી અસર પડે છે. ખાસ કરીને નાના બાળકો, યુવાનો પ્રભાવિત થાય છે કેમકે તેઓ તો ફિલ્‍મીજીવનને જ સાચુ જીવન સમજે છે અને તે રીતે જીવવા ઇચ્છે છે. અને ફેશનમાં એમનું આંધળુ અનુકરણ કરી એમના જેવા વસ્‍ત્રો, હેરસ્‍ટાઇલ, ટીપટોપથી રહેવા માટે પોતાના માં-બાપને ખોટા ખર્ચાઓમાં ઉતારે છે. વડીલોની માન મર્યાદા જાણવવાને નાનમ સમજે છે. એમને એની ખબર નથી કે આ રીતનું જીવન સર્વનાશ તરફ લઈ જનારો માર્ગ છે.
ભારત સરકારે આવી ફિલ્‍મો તથા ટીવી સિરિયલો ન બને તે જોવું જોઈએ અને બનેલી પર પ્રતિબંધ મુકવો જોઈએ. હવે સમાચાર ચેનલો પણ ઘણા બિનજરૂરી દ્રશ્‍યો દેખાડી સમાજને ખોટે રસ્‍તે દોરી રહી છે.
ભારત એ મહાત્‍મા ગાંધી અને સંત મહંત, સુફીઓનો દેશ છે જયાં સત્‍ય અહિંસા અને દારૂબંધીની બોલબાલા હોવી જોઈએ, ત્યારે ફિલ્મ- ટીવી દ્વારા આજે લોકોમાં હિંસા, દારૂની રેલમછેલ અને અનેક બદીઓનું સિંચન થઇ રહ્યું છે. પ્રેમની બનાવટી ફિલ્‍મી વાતથી યુવાનોના જીવન ખેદાનમેદાન થઈ રહ્યા છે. તેમને ફિલ્‍મી પ્રેમની બનાવટનો ખ્‍યાલ નથી તે તેને જ સાચું જીવન સમજે છે અને પછી પસ્‍તાય છે.
ફોરૈનની આંધળી નકલ કરતી. ફિલ્મો- ટીવી સિરિયલો, ભારતીય સંસ્‍કૃતિના ઉમદા સંસ્કારોનો નાશ કરી રહી છે. દેશને આજે જરૂર છે દેશભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવ, ઈમાનદારી, સાચી મિત્રતા, એકબીજામાં વિશ્વાસ જગાવનારા સંસ્‍કારોના સિંચનની સરકાર જનતાના હિતમાં ખરાબ અસર કરતા કાર્યક્રમો પર પાબંદી મુકી, સારા સંસ્કારો જગાવતા પ્રોગ્રામો આપવા માટે દબાણ કરે. એજ દેશ અને જનતાના હિતમાં હશે.

0 Comments:

Post a Comment

<< Home