ઉજાસ

Sunday, June 11, 2006

હકીકતનો સ્વીકાર કરતા પહેલા વિચારો

કોઈ પણ હકીકતનો સ્વીકાર કરવા માટે તેના પર વિચાર કરવાની બેહદ જરૂર હોય છે. અમલ તેનું પ્રથમ પગથિયું છે વિચાર્યા વિનાનું કોઈ પણ કામ અલ્લાહ તઆલાને પણ પસંદ નથી. કોઈ કહે અને તે માની લેવું એ બેવકૂફી છે. દરેક પ્રશ્નનો બુદ્ધિપૂર્વક વિચાર કર્યા બાદ જ ચોક્કસ નિર્ણય પર આવવું એ સાચી બુદ્ધિમાની છે. અલ્લાહ તઆલાની આ હિદાયત માનવ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. આપણે શ્રધ્ધા અને અંધશ્રધ્‍ધાનું ઉદાહરણ જ લઇએ તો બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. શ્રધ્ધા માનવીનો એક મહામૂલો ગુણ છે પરંતુ અંધશ્રધ્‍ધા એ એક બિમારી છે. આવા અવગુણ ગુમરાહી જ લાવે છે. શ્રધ્ધા વિચાર કરવાથી મજબુત થાય છે. જ્યારે અંધશ્રધ્‍ધામાં વિચાર અથવા બુધ્ધિ વાપરવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ઈમાન અને શ્રધ્‍ધામાં પૂરતો વિચાર કર્યો ન હોય તો તેને અંધશ્રધ્‍ધામાં ફેરવાઈ જતા વાર લાગતી નથી આથી સાવધ રહેવું જરૂરી છે. આપણે વિચાર કરીએ કે અલ્‍લાહે ઇન્‍સાનને શા માટે પેદા કર્યો ? તો જણાય છે કે તેની ઇબાદત માટે, વધુ વિચાર કરીએ કે શું આખો દિવસ ફકત ઈબાદત જ કર્યા કરવી ? આમ થાય તો દુનિયાનો કારોબાર જ સ્થગિત થઇ જાય. આથી ઊંડો વિચાર કરીએ તો સમજાય છે કે ઈબાદત એટલે ફકત નમાઝ, રોજા કે માળા ફેરવ્‍યા કરવું એવું નથી પણ રોજિંદા જીવનમાં જે ઇન્‍સાન જે અમલ કરે છે તે સાચી નિયત અને અલ્લાહ તઆલાના હુકમ પ્રમાણે હોય તો સર્વે ઇબાદત જ છે. અલ્લાહ તઆલાની ઇબાદતની સાથે માનવના એકબીજા પ્રત્‍યેના હકો અદા કરવા એ પણ ઇબાદત જ છે.
આથી માનવે દરેક કાર્યમાં પુરતો વિચાર કર્યા બાદ સાચી નિયતથી અલ્‍લાહના હુકમો પ્રમાણે જીવન જીવવું જોઇએ. જેથી તેના દરેક કાર્યો ઇબાદતમાં સામેલ થઇ જશે.

0 Comments:

Post a Comment

<< Home