ઉજાસ

Saturday, August 26, 2006

ઇસ્લામ આંતકવાદનો નહિ શાંતિનો હિમાયતી છે

આજ કાલ મિડિયાએ ઇસ્લામ ને આતંકવાદ સાથે જોડવાની એક ફેશન બનાવી લીધી છે. જયારે ઇસ્લામ તો શાંતિનો જ સંદેશ આપે છે. હા, મુસ્લિમોનો એક નાનો વર્ગ જરૂર આતંકવાદ તરફ ધકેલાય રહ્યો છે. પણ સ્વેચ્છાએ નહીં પણ સંજોગો તેને તે માર્ગે ધકેલી રહ્યા છે. તેમની સાથે થતા અન્યાયનો સામી છાતીએ સામનો કરવાની શક્તિના અભાવે તે પોતાના ક્રોધ અને વિરોધ એ રીતે વ્યક્ત કરતો થઇ ગયો છે. તે પોતે પણ એક રીતે નિર્દોષોને થતા નુકસાન – જાનહાની કદીએ પસંદ નહીં જ કરતો હશે પણ લોકો અને સરકારનું ધ્યાન ખેંચવા આ રીતના પ્રયત્નો કરે છે.
જગતમાં આતંકવાદને ભટકાવનારા મુસ્લિમો નહીં પણ અમેરિકા- બ્રિટન છે. તેઓ વાત તો લોકશાહીની કરે છે પણ પોતાના સ્વાર્થ માટે તે મોજમજામાં જ મસ્ત રહેતા મુસ્લિમ બાદશાહોને કે સરમુખત્યારોને પોષી આમ મુસ્લિમોને દબાવવા જ સદાપ્રયત્‍ન કરતા રહે છે.
જગતમાં મુસ્લિમ વસ્તીવાળા દેશ સાથે અમેરિકા અને તેના મિત્રોની કેવી નીતિ અપનાવી રહ્યા છે. જે જગત જોઇ રહી છે. બરબાદ કરીને છોડી દેવું આમાથી જ આતંકવાદ ફેલાઈ છે. દરેક મુસ્લિમ દેશોમાં લશ્કરી અડ્ડા જમાવી અમેરિકા તેમને દબાવવા ત્યાં પડયું રહે છે. જે ત્યાંની જનતાને પસંદ નથી. અને તેથી ત્યાં અમેરિકા વિરૂદ્ધ જન જાગરણ બનતું જાય છે.
ભારતે અમેરિકાના ભરોષે રહેવા જેવું નથી. જાતે જ પોતાના પ્રશ્નો હલ કરવા પડશે તે માટે વાતાવરણ ભાઇચારા ભર્યું બનાવવું પડશે મસ્જિદ મદ્રસાઓને ચ ગાવી મુસ્લિમો ના દિલોને જે રીતે રંજિત કરાય છે. તે ઠીક થતુ નથી જો કોઇ વિરૂદ્ધ પૂરતા સબૂત મળે તો તેને જરૂર દંડિત કરો. પણ જાહેરમાં કોમ વિરૂદ્ધ થતો પ્રચાર બંધ થવો જોઇએ.

Tuesday, August 15, 2006

કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી

સુરતના પૂરની ચીતા રજૂ કરતી કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી વાંચવા જેવી છે. જેની લીંક આપી રહ્યો છું વાંચકોથી ગુજારીશ છે કે તે ની તરફ પણ એક નજર કરવામાં આવે. www.bazmewafa.blogspot.com